હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલા આધેડ સવા મહિનાથી ગુમ


SHARE











મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલા આધેડ સવા મહિનાથી ગુમ

મોરબીમાં માળિયા વનાળિયા સોસાયટી પાસે આવેલ ચામુડાનગર વિસ્તારમાં રહેતા આધેડ બાઈક લઈને કામે જાવ છું તેવું કહીને ઘરેથી નીકળ્યા હતા જોકે ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હોય હાલમાં ગુમ થયેલા આધેડના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે જેથી પોલીસે ગુમ થયેલા આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળિયા સોસાયટી નજીક આવેલ ચામુંડાનગરમાં રહેતા અશ્વિનભાઈ ભરતભાઈ પરમારએ તેના પિતા ભરતભાઈ મગનભાઈ પરમાર (50) ઘરેથી ગત તા. 5/11 ના બપોરના 12:00 વાગ્યે નીકળ્યા બાદ ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા ભરતભાઈ પરમાર ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે ફરિયાદીની બહેન દેવકીબેનને કહ્યું હતું કે “કામે જાઉ છું અને તેઓનું બાઈક મહારાણા પ્રતાપ સર્કલ પાસે મૂકીને બહાર જવાનો છું વહેલા મોડો આવી જઈશ અને અશ્વિનને કહેજે કે બાઈક લેતો આવે” જોકે ગત તા. 5/11 ના રોજ ઘરેથી નીકળ્યા બાદ તેઓનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી ગુમ થયેલા આધેડના દીકરાએ આપેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા મેહુલ મનસુખભાઈ સોલંકી (27) નામનો યુવાન મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે તે બાઇકમાંથી પડી જતા તેને શરીરે ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઇ ચૌહાણ (52) નામના આધેડને સરતાનપર ચોકડી પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટ્રક સાથે ટ્રક આથડાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાગડાવાસ ગામ પાસે ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રવિકુમાર રાજનસિંગ (24) નામના યુવાનને ઇજાઑ થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News