મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ ઈસમોએ માર માર્યો


SHARE











મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ સગા ભાઈઓએ માર માર્યો

મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની રેકડી ધરાવતા યુવાને ત્યાં આવેલ ગેરેજ વાળા ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તે ગટરમાંથી નીકળતા ગંદા પાણીની દુર્ગંધ આવે નહીં તે માટે ગટરનું ઢાંકણું તોડવા માટે યુવાન તથા સાહેદે તેને સમજાવ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ત્રણ સગા ભાઈઓએ યુવાન સહિતના બે વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાનને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ તે યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફર્ન વર્લ્ડની બાજુમાં આવેલ આનંદ નગરમાં રહેતા અને શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની લાવી ધરાવતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયા (30)એ રમેશ વીરજીભાઈ પરમાર, મનસુખ વિરજીભાઈ પરમાર અને દયારામ વીરજીભાઈ પરમાર રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે તથા સાહેતેની નાસ્તાની લારી પાસે હતા ત્યારે રમેશ અને મનસુખ તેમના ગેરેજ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તેમાં નીકળતા ગંદા પાણીની દુર્ગંધ ન આવે તે માટે થઈને ફરિયાદી તથા સાહેદે ગટર ન તોડવા તેને સમજાવતા રમેશ અને મનસુખએ ફરિયાદી યુવાન તથા સાહેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જપાજપી કરી હતી ત્યારબાદ ત્યાં આવેલા દયારામએ લોખંડના પાઇપ પડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો. તથા શરીરે ઇજા કરી હતી તેમજ સાહેને પણ ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવારમાં ખેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News