ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન


SHARE











મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગઇકાલે કાંકરેજ દેવદરબારના મહંતના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેમ કે, તેના  દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

મોરબીમાં મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, કાંકરેજના ગંગાપુરા ગામે થળી મઢ ખાતે મહંત 1008 જગદીશપુરીજી બાપુ તા 19/11/24 ના રોજ દેવલોક પામતા તા. 22/11/24 ના રોજ થળીમઢ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરવામાં આવી છે. કોઈપણ સંત, મહંત દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખીયાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દેવામાં આવી હતી.

દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથે બેફામ વાણી વિલાસ કરીને ગોસ્વામી સમાજ શું કરી લેશે. તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વીડિયો જોઈ ખુબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે. અને આવી અશોભનીય તથા અભદ્ર વાણીનો ઉપયોગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ હોય મહંત બળદેવનાથ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે માંગ કરી છે.






Latest News