મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી


SHARE







વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. 11 નાં રોજ જલારામ જયંતિ નિમિત્તે પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ફળેશ્વર મંદિર (મુની બાવાની જગ્યા) ખાતે શિવાલય ઉપરાંત રામચંદ્રજી તથા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા બિરાજમાન છે, જલારામ જયંતિ નિમિત્તે નિજ મંદિરમાં પુષ્પ શણગાર, પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ પ્રતિમાની પૂજન અર્ચન વિધિ કરાશે જે પૂજનવિધિમાં બાબભાઈ લાખાણી (સમીર ટ્રેડર્સ) તથા ફળેશ્વર મંદિરનાં સંચાલક વિશાલ ભાઈ પટેલ બેસશે, પૂજનવિધિ બાદ મહાઆરતી થશે, જલારામ જયંતિનાં દિવસે જ મંદિરનાં પૂર્વ સંચાલક સ્વ.પટેલ બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે બપોરે ભૂદેવો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 કલાકે બટુક ભોજન રાખેલ છે, રાત્રે 9:30 કલાકે ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે, જેમાં શ્યામ ધૂન મંડળ દ્વારા કિર્તન, ધૂન ભજન, ભક્તિ ગીતો, ભક્તિ સંગીત રજૂ કરાશે, ભક્તિ સંધ્યા કાર્યક્રમમાં ભાવિકજનોને પધારવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News