મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત


SHARE











મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં મજુર યુવાનને તાણ-આંચકી ઉપડયા બાદ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસેના વી-સેવન સીરામીક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં સનાતનભાઈ માધવભાઈ લુહાર નામના ૪૦ વર્ષીય મજુર યુવાનને તાણ-આંચકી ઉપડી હતી જે દરમિયાન તેનું ગઇકાલ તા.૮ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોત નિપજ્યુ હતું.જેથી બનાવ સંદર્ભે બીટ જમાદાર એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા રાયધનભાઈ સવજીભાઈ રંગપરા નામનો યુવાન કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે થાનગઢના જ વર્ષાધાર વિસ્તારમાં રહેતો રામજીભાઈ રમેશભાઈ બાવળીયા નામના ૧૭ વર્ષીય યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. બંને બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાનગઢ પોલીસને જાણ કરી હતી.






Latest News