મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ


SHARE













મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર સંજય પાર્કમાં મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરનું પાલિકાની ટીપી શખ્સ દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ ગ્રીન સિટી સંજય પાર્કમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની સાથે જ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જે મંદિરને પાલિકાની ટીપી શાખાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બુલડોઝર ફેરવીને તોડી નાખ્યું છે જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને જે જગ્યાએ મંદિર તોડવામા આવેલ છે ત્યાં અન્ય કોઈપણ ગેરકાયદે બાંધકામ કરાશે તો તંત્રની સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જેથી આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિનય ગાયકવાડે જણાવ્યું હતું કે, મંદિર રસ્તાની વચ્ચે હતું જેથી તેને તોડી પાડવામાં આવેલ છે.






Latest News