ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું


SHARE











મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું

મોરબીમાં આલાપ રોડ પાસે અને નહેરૂગેટ ચોકમાં શનિવારે પાલિકા દ્વારા ખાતમુહૂર્તના જુદાજુદા બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કુલ મળીને 16 રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ, મેઘરાજસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સીરોહિયા, આશીફ્ભઈ ઘાંચી, અલ્પાબેન કક્ક્ડ, સીમાબેન સોલંકી, પ્રફુલભાઇ આડેસરા સહિતના પાલિકામાં માજી સભ્યો તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતનો સ્ટાફ અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા હાલમાં જે રોડના કામનું ખાતમુહૂર્ત થયેલ છે તેમાં કલેકટર બંગલાથી સ્ટેશન રોડ, દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ, જેલ ચોકથી મચ્છુમાં મંદિર, શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ, જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ, નટરાજ ફાટકથી પરશુરામ પોટરી, નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ, ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી, કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર, રવાપર રોડ વાઘપરાના નાલાથી જેલ રોડ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત બીજા 6 રોડનો સમાવેશ થાય છે. આ રોડ સારી ગુણવતાના બને તેના માટે ધારાસભ્યએ કોન્ટ્રાકટરને લોકોની હાજરીમાં જ ટકોર કરી હતી અને જો નબળી કામગીરી હોય તો લોકોને કામ રોકવા અને તેઓને જાણ કરવા માટે આહ્વાન કર્યું હતું






Latest News