મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ

મોરબીના લીલાપર ગામ પાસે ઝુપડામાં રહેતા યુવાને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી જેથી તે યુવાનને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકીને પુરાવા નાશ કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસ મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલ તીર્થક પેપર મીલની બાજુમાં ઝુપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (20) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યા ની ફરિયાદ નોંધાવે છે.જેમાં તેણે જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવી (41) એ આરોપી મેરીબાઈ પાસે બિભત્સ માંગણી કરી હતી.જેથી કરીને ત્રણેય આરોપીઓએ કાવતરું કર્યું હતું અને ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવીને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ગળેટુંપો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના બાઈકને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું તેમજ તેના મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર આવેલ નદીમાં નાખીને પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (32) રહે.લિયારા તાલુકો પડધરી મૂળ રહે.એમપી અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (36) રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર તા.મોરબી મૂળ રહે.એમપી ની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News