ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર આડે પાર્ટીશન લગાવનારાઓને રોકતા વૃદ્ધ અને તેના પુત્રવધુને માર માર્યો: ત્રણ મહિલા સહિત 8 સામે ફરિયાદ


SHARE











મોરબીમાં ઘર આડે પાર્ટીશન લગાવનારાઓને રોકતા વૃદ્ધ અને તેના પુત્રવધુને માર માર્યો: ત્રણ મહિલા સહિત 8 સામે ફરિયાદ

મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રી નગરની બાજુમાં આવેલ વિજયનગરમાં થોડા દિવસો પહેલા માલિકીની દિવાલમાં એંગલ લગાવીને છાપરું લગાવ બાબતે માથાકૂટ થઈ હતી તે બાબતે હવે સામા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મકાનની આડે પાર્ટીશન મારતા હતા તેને અટકાવેલ હતા તે બાબતનો ખાર રાખીને વૃદ્ધ તથા તેના પુત્રવધુને માર મારીને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ત્રણ મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ સતાધાર સોસાયટીમાં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના બ્લોક નંબર ચાર માં રહેતા હંસરાજભાઈ ડાયાભાઈ કાવર (67) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ મનજીભાઈ, ચુનીલાલ, ભુદરભાઈ, સુનીતાબેન રણછોડભાઈ, રમેશભાઈ, મગનભાઈ, રમેશભાઈના પત્ની, પ્રણવભાઈ ચુનીભાઇ અને કાંતાબેન ચુનીભાઇ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના પુત્ર વધુ કિંજલબેન વિજયનગર એક માં રવાપર રોડ ઉપર આવેલ તેઓના માલિકીના મકાને ગયેલા હતા ત્યારે ત્યાં રણછોડભાઈ, ચુનીલાલ, ભુદરભાઈ અને સુનીતાબેન મકાનની વચ્ચે આડુ પાર્ટીશન મારતા હતા જેથી કરીને પાર્ટીશન મારવાની ફરિયાદી એ ના પાડતા તેને આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારબાદ જતા રહ્યા હતા ત્યાર પછી રમેશભાઈ તેના પત્ની તેમજ પ્રણવભાઈ અને કાંતાબેન ત્યાં આવ્યા હતા અને તેઓએ બોલાચાલી કરી હતી ત્યારે રમેશભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને પેટના ભાગે તથા માથામાં અને તેના પુત્રવધુને હાથે પગે માર માર્યો હતો અને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ અને તેના પુત્ર વધુ એ સારવાર લીધા બાદ હાલમાં તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ગુનો નોંધાયો
ટંકારાની લતીપર ચોકડીએ શ્રીરામ પ્લાઝા પાસે કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને હાલમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા મનસુખભાઈ ભગવાનજીભાઈ ડાભી (32) રહે પાવઠાની વાડી સનાળા રોડ મોરબી વાળા સામે ટંકારા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોદીની પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News