મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા, ચાંચાપર, રાજપર(કું.), સજનપર, જામદુધઇ, પીઠડ ગામે ગૌ સેવાના લાભાર્થે નાટકના આયોજન


SHARE











મોરબીના થોરાળા, ચાંચાપર, રાજપર(કું.), સજનપર, જામદુધઇ, પીઠડ ગામે ગૌ સેવાના લાભાર્થે નાટકના આયોજન

મોરબીના રાજપર(કું.) ગામે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી ટોબરીયા હનુમાનજી ગૌશાળાના લાભાર્થે ગામના રામજી મંદિરના ચોકમાં તા.૩ ને રવિવારના રોજ રાતના ૧૦ વાગ્યે "સોમનાથ ની સખાતે" (વીર હમીરજી ગોહિલ) નાટક રજુ થશે.તેની સાથે 'શાણી કન્યા, અબુધ વર' નામનું કોમિક નાટક પણ રજુ થશે.જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ અને રાજપર ગામ સમસ્તની યાદીમાં જણાવેલ છે.

ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજના રોજ નાટકનુ આયોજન કરવામાં આવેલ છે.ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૩ ને રવિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ગૌ શાળાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક "મચ્છું તારા વહેતા પાણી" (ઢેલડી નગરનો ઇતિહાસ) સાથે હાસ્ય રસિક કોમીક તો ખરું જ આ કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જાહેર જનતાને બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ સજનપર તથા સમસ્ત સજનપર ગામ વતી ભાવભર્યું આમન્ત્રણ છે.

તેમજ મોરબી તાલુકાના ચાંચાપર ગામે બાપા સીતારામ મઢુલી પાસે આગામી તા.૨ ને શનિવારે રાત્રિના ૧૦ કલાકે નાટકનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં શ્રી યુવા શક્તિ નાટક મંડળ ચાંચાપર દ્વારા મહાન ઐતિહાસિક નાટક "સોન કંસારી" એટલે કે ઘુમલીનું પતન તથા સાથે હાસ્ય નાટક 'આત્મારામ ઘડિયાલી' રજૂ કરાશે.જેનો લાભ લેવા માટે સર્વ મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

થોરાળા ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે આગામી તા.૩ ને રવિવારના રોજ ભાઈબીજના દિવસે મહાન એતિહાસિક નાટક ભજવાશે.રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ થોરાળા દ્વારા તા.૩ ને રવિવારે મહાન એતિહાસિક નાટક "જરાસંઘ વધ" રજુ કરાશે ઉપરાંત રમુજથી ભરપુર કોમિક "દિ ઉઠાડ્યો દામલે" યોજાવશે.નાટક રાત્રે ૧૦:૩૦ કલાકે શ્રી રામ ચોક થોરાળા ખાતે રજુ કરવામાં આવશે.જેનો લાભ લેવા શ્રી રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ અને થોરાળા ગામ સમસ્તની યાદીમાં જણાવાયેલ છે.

જામદુધઇ ગામે તા.૨ ને શનિવારે "કંશ વધ" નામનું ઐતિહાસિક નાટક રજૂ કરાશે.તહેવારોમાં મોરબી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌસેવાના લાભાર્થે નાટક તેમજ ભજન કાર્યક્રમ યોજવાની પરંપરા છે ત્યારે જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે ગામ સમસ્ત દ્વારા આગામી તા.૨ નવેમ્બરને શનિવારે રાત્રે ૯ કલાકે ધાર્મિક તેમજ ઐતિહાસિક નાટક કંસ વધ યોજાનાર છે.સાથે જ રાત્રે જાણીતા ભજનિક નિલેશ ગોહિલ અને હસુભાઈ કુબાવત ભજનની રમઝટ બોલાવનાર હોય નાટક તેમજ ભજનના કાર્યક્રમનો લાભ લેવા જામ દુધઈ ગામ સમસ્ત દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવા આવ્યું છે.

જ્યારે મોરબી નજીકના પીઠડ(જોડીયા) ગામે પણ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આગામી તા.૩-૧૧ ના રોજ રાત્રિના ૯ વાગ્યે પીઠડ ગામે આવેલ પીપળા ચોક ખાતે આઈ શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળના સભ્યો દ્વારા "વીર એભલવાળો" (સતી સાંય નેહડી) નામનું નાટક ભજવવામાં આવશે.જેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે આઈ શ્રી પીઠડાઇ ગૌ-સેવા રામામંડળ તથા સમસ્ત પીઠડ ગામ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News