હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી


SHARE











વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી

19 ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)નો જન્મદિવસ, જેમણે આખું વિશ્ર્વ મનુષ્ય ગૌરવદિન તરીકે હર્ષોઉલ્લાસથી ઉજવે છે. આ વૈશ્ર્વિક મહાપુરૂષે ત્રિકાળ સંધ્યાના મહામંત્રથી લાખો માનવ જીવન બદલાવ્યા છે. માનવ્યને ખરા અર્થમાં હ્વદયસ્થ ભગવાનની સમજણ આપીને મનુષ્યનું ગૌરવ નિર્માણ કર્યુ છે.

આ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવા હજારો સ્વાધ્યાયીઓએ છ દિવસ ગામડે ગામડે પોતાનો ટાઈમ, ટિફિન, અને ટિકિટ લઈને ભકિત ફેરીના માધ્યમથી હજારો ગામડાઓમાં હ્વદયસ્થ ભગવાનનો વિચાર લઈને જવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતના આવા કળી કાળમાં નિ:સ્વાર્થ ભાવે માણસને સહજ મળવા જવું એક વિશ્ર્વની અજાયબી છે.

વાંકાનેર તાલુકામાં દેવી પુજક વિસ્તારમાં પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મંત્રમુગ્ધ બની જાય તેવી બાળકોની ભાવવંદના અને અંતમાં હજારો મીણબત્તીનો નજારો, જેમાં મનુષ્ય ગૌરવની પાંડુરંગી જયોત પ્રગટતી હતી. 




Latest News