મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન


SHARE











મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન

મોરબી તાલુકાના અણીયારી ગામે કાલે પ્રાથમિક શાળામાં રાતના ૧૦ વાગ્યે જુના અને જાણીતા કલાકારો સાથે મહાન સામાજિક નાટક રાણો કુંવર અને પેટ પકડીને હસાવતું કોમિક રજુ કરવામાં આવશે જેથી કરીને આ નાટકનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

મોડપરમાં નાટક યોજાશે

મોરબી તાલુકાના મોડપર ગામમાં કાલે રાતે નાટકનું આયોજન કરવા આવ્યું છે જેમાં જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરાતું સોરઠનો સિરતાજ રાકવાંટતેમજ લોકોને હસાવવા માટે કોમિક દિકરો દયારામનું નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકો દ્વારા ગામના લોકો સહિતનાને આમંત્રણ આપવામાં આવ્યું છે


રામામંડળ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મોટા ખીજડીયા ગામમાં રવિવાર તા ૭ ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોટા ખીજડીયા ગામમાં રાસંગપર વાળા રામામંડળના કલાકારો દ્વારા કાર્યક્ર્મ રજૂ કરવામાં આવશે જેથી કરીને ગ્રામજનો સહિતના લોકોને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

અન્નકૂટ દર્શન
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે આવતી કાલે નૂતન વર્ષના દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંદિરમાં અન્નકૂટ તૈયાર કરવા માટેની તાડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવેલ છે જેમાં અન્નકૂટ દર્શનનો સમય બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભક્તોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત અક્ષયગિરી અને નિલેશગીરીએ અનુરોધ કરેલ છે. 






Latest News