ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી


SHARE











મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી

મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનાની તપાસ હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને સીબીઆઇની ટીમ સોમવારે આવી હતી અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલ ધામેચાના માતા પિતાને બોલાવીને તેને નિવેદન લેવામાં આવ્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી તો પણ હત્યા કેસનો ભેદ ઉકેલાયેલ ન હતો જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડી પાસેથી આ કેસને સીબીઆઇને સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે જેથી કરીને સીબીઆઈના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મોરબી આવ્યા હતા અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલના માતા અને પિતાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓના નિવેદન લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.






Latest News