ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રાના કુડા પાસે 17 દિવસ પહેલા કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની લાશ હળવદના માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાંથી મળી


SHARE











ધ્રાંગધ્રાના કુડા પાસે 17 દિવસ પહેલા કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની લાશ હળવદના માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાંથી મળી

હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં નર્મદાની કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા મુકેશભાઈ ગોરધનભાઈ સજાણી (32) નામનો યુવાન આશરે 17 દિવસ પહેલા કુડા જસમતપર ગામની વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીમાં કોઈપણ કારણોસર તણાઈ ગયો હતો અને તે યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અશોકભાઈ ગોરધનભાઈ સજાણી (27) રહે. રાજપર તાલુકો ધાંગધ્રા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News