મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યોને ૧૩ વર્ષ પૂર્ણ


SHARE













મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યોને ૧૩ વર્ષ પૂર્ણ

મોરબી જિલ્લામાં ૩૦/૭/૨૦૧૧ ના રોજ થી સેવા કાર્યો અર્થે શરૂ થયેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી પોતાના સેવા કાર્યમાં ૧૩ વર્ષ પૂર્ણ કરેલ છે. આ ૧૩ વર્ષમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીએ સામાજિક ક્ષેત્રે આઠ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન થકી ૨૫૧ ગરીબ કન્યાઓના લગ્ન કરાવી આપેલ છે.

આ ઉપરાંત પોલિયો બુથ સંચાલન, વૃક્ષારોપણ અને વૃક્ષદાન કાર્યો સાથે ચેરીટી શો યોજેલ. આરોગ્ય ક્ષેત્રે ૫ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજેલ, સ્વાઈન ફ્લુ માસ્ક વિતરણ, કોરોના કાળમાં શ્રી ભોજનાલય ખોલોની લોકોની સેવા કરેલ, શિક્ષણ ક્ષેત્રે બાળચિત્ર પ્રદર્શન, ચિત્ર હરીફાઈ, જનરલ નોલેજ પરીક્ષાઓ, ફ્રી નોટબુક, ફ્રી શિક્ષણ કીટ, ફ્રી ટ્યુશન વિતરણની સાથે શિક્ષણ સહાય કેન્દ્ર ચલાવી રહ્યું છે.આ સાથે હાલ ટ્રસ્ટ દ્વારા ક્લિનિક, સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ પણ ચલાવવામાં આવી રહી છે. ટ્રસ્ટની ૧૩ વર્ષ પૂર્ણ થતા મોરબીની જનતાને આરોગ્ય ક્ષેત્રે સારા નિષ્ણાંત ડોક્ટરની રાહત દરે નિદાન અને સારવાર મળી રહે તે હેતુસર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના સહયોગથી નિષ્ણાંત ડોક્ટરની સારવાર મોરબીમાં રાહત ચાર્જમાં મળી રહે તે હેતુસર મોરબીમાં ટ્રસ્ટ સંચાલિત ગોકુલ વીઝીટીંગ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યું છે. જેના શુભારંભ પ્રસંગે નિષ્ણાંત ડોક્ટરોની આરોગ્ય સલાહ મળી રહે તે માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરેલ છે.






Latest News