મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ


SHARE











મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ

મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સેવાભાવી સરપંચ પ્રફુલભાઈ હોથી તથા સુરેશભાઈ એમ.શેરસીયા દ્વારા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક વન વિભાગ મોરબીના અધીકારીઓનો સંપર્ક કરીને વન વિભાગને સોંપી મોરને નવજીવન આપ્યુ હતુ.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવાળીયા ગામે કુતરાઓ દ્વારા મોરને ઇજા પહોંચાડવામાં આવી હતી જેથી કરીને મોર એક વાડામાં છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠો રહેતો હતો જે અંગે ગ્રામજનો તરફથી જાણ થતાં ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી દ્વારા આ અંગે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરાયો હતો અને ફોરેસ્ટ વિભાગે જણાવતા તાત્કાલીક મોરની સારવાર થઇ શકે તે માટે સરપંચ દ્વારા મોરને અન્ય ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો.મોરને પકડીને ફોરેસ્ટ વિભાગની ઓફિસ કેજે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર પાસે આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં મોરની સારવાર સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.






Latest News