સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડ વાસમાં રહેતા આધેડને ઘરે હતા ત્યારે પરસેવો વળવા લાગ્યો હતો અને છાતીમાં બળતરા થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ અટેકના કારણે આધેડનું મોત થયું હોય તેવું સામે આવ્યું હતું જે અંગેની મોરબી તાલુકા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડ વાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઈ પાંચિયા જાતે ભરવાડ (49) પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને શરીરે પરસેવો વળવા લાગ્યો હતો અને છાતીમાં બળતરા અને દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે આધેડનું મોત થયું હોય તે અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News