મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો


SHARE













મોરબી બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

સી.આર.સી.કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ આવેલ વિજેતાઓ કુલ 72 સ્પર્ધકોએ બી.આર.સી. ખાતે તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં 'ગરવી ગુજરાત' થીમ આધારિત સગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર, બાળકવિ એમ ચાર વિભાગમાં બાળકોએ પોતાની કલાનું કસબ બતાવ્યું હતું. આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ગાયન સ્પર્ધામાં વરસડા ભાવેશભાઈ, દેથરિયા સુનિલભાઈ, ગઢવી હરેશદાન તથા વાદન સ્પર્ધામાં માકાસણા વિવેકભાઈ, મારું ભાવિનભાઈ, મિસ્ત્રી ગૌરવભાઈ તથા ચિત્ર સ્પર્ધામાં દલસાણિયા કમલેશભાઈ, દેલવાડિયા બાબુલાલ, બાવરવા ચંદ્રકાન્તભાઈ તેમજ બાળકવિ સ્પર્ધામાં બાપોદરિયા સંજયભાઈ, પરમાર રાજેશભાઈ, કવિ જલરૂપે સેવા આપી હતી. આ તકે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ડાભી દર્શના કિશોરભાઇ(માધાપર પ્રાથમિક શાળા), બાળકવિ સ્પર્ધામાં પરમાર હેન્સી દિલીપભાઇ (ખારીવાડી પ્રાથમિક શાળા), સંગીત ગાયન સ્પર્ધામાં ત્રિવેદી અનેરી શ (સાર્થક વિધા મંદિર), સંગીત વાદન સ્પર્ધામાં હરણીયા જીલ જિતન્દ્ર ભાઈ (એમ. જે. મેહતા સસ્વતી વિધામંદિર ) વિજેતા થયેલ છે. તેઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ કાર્યક્રમમાં બી.આર.સી. કોર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ કલા ઉત્સવ વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અને ત્યાર બાદ વિજેતા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ ઈનામ તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ. શૈલેષભાઈ કાલરિયાએ કર્યુ હતું. આ કાર્યક્રમનને સફળ બનાવવા સી.આર.સી.કો. ટીમના ચેતનભાઈ, બાબુલાલ, રાજેશભાઈ, મહાવીરસિંહ, ઉમેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઈ, નેહલબેન, દેવાયતભાઈ, ચંદ્રકાન્તભાઈએ જહેમત ઉઠાવી હતી.






Latest News