ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?


SHARE







મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?

મોરબીની ગત પેટા ચૂંટણીમાં તે સમયના મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલ આવ્યા હતા ત્યારે તેઓને મોરબીના એક માત્ર એલઇ ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમી શકે તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરી શકે છે માટે આ મેદાનમાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે જેના કારણે મેદાન બગડી જાય છે માટે તેને અન્ય સ્થળે ખસેડવા માટે રજૂઆત કરી હતી અને તે વખતે કલેક્ટરને સૌરભભાઈ પટેલે આ મેદાનમાં મેળાનું આયોજન નહિ કરવામાં સૂચન પણ આપી હતી તેમ છતાં પણ આ વર્ષે ત્યાં જ મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે જ યુવાનોએ તે મેળાનું સ્થાન બદલવામાં આવે તેવી માંગ કરી હતી જો કે તેને નજરઅંદાજ કરીને સરકારી તંત્ર દ્વારા મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખી છે જેથી કરીને યુવાનોમાં ભારે રોષની લાગણી છે અને શા માટે તંત્ર દ્વારા યુવાનોની વારંવારની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવે છે તેવો સવાલ કરવામાં આવેલ છે






Latest News