મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી


SHARE







મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી

મોરબીના શનાળા રોડે આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં જિલ્લા કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ખાસ ચાલુ વર્ષની કારોબારીની મુદત તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ પૂર્ણ થાય છે જેથી કરીને તમામ હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા સર્વાનુમતે નવી કારોબારીની બિનહરીફ રચના કરવામાં આવી છે. જેમા પ્રમુખ, મહામંત્રીની આ ચોથી ટર્મમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ અન્ય હોદ્દાદારો અને કારોબારી સભ્યોની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે અને નવનિયુક્ત હોદેદારો અને કારોબારીમાં પ્રમુખ ભગવાનભાઈ એ. કુંભરવાડિયા, મહામંત્રીમાં વિશાલકુમાર એમ. ગોધાણી, ઉપપ્રમુખમાં બાબુલાલ એલ. પીઠીયા અને સચિનભાઈ એસ. કામદાર, સહમંત્રીમાં મહેન્દ્રભાઈ વી. ક્યોટ અને સમસુદ્દીન યુ. માથકિયા, સંગઠનમંત્રીમાં પાલાભાઈ કે. વરૂ, કોષાધ્યક્ષમાં વરજાંગભાઈ વી. ચોપડા,  અન્વેષકમાં અનિલભાઈ એચ. કૈલા, કાર્યાલયમંત્રી વિનોદભાઈ આર. કૈલા, રાજ્ય કારોબારી વનરાજભાઈ એ. ડામોર તેમજ કારોબારી સભ્યમાં લખુભા. એ. ગોહિલ, એચ.એ. કડીવાર, પી.પી. લાખણોત્રા અને એસ.એ. શેરસીયાનો સમાવેશ કરેલ છે.






Latest News