મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગામડાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા જાગૃતિ બાબતે ક્વિઝ સ્પર્ધા યોજાઈ


SHARE







વાંકાનેરના ગામડાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા જાગૃતિ બાબતે ક્વિઝ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વધુને વધુ લોકોને સાંકળી નિયમિત અલગ અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ મુખ્યત્વે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળામાં રહેલું બાળક આ વિવિધ બાબતો સમજે તો નાનપણથી જ એક જાગૃત અને સમજદાર નાગરિક બને છે ઉપરાંત તે જાગૃત બની પરિવારને પણ જાગૃત બનાવે છે. જેથી મોરબીમાં વાંકાનેર તાલુકાના ગારેડા મહીકા કોઠી જોધપર ગારીયા અને લિંબાળા સહિતના ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ ની થીમ સાથે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે આયોજિત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા દ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનવા તથા અન્યને પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News