ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો


SHARE











વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો

1111 દીપની મહાઆરતીનુ આયોજન: રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ કે જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઈઓ-બહેનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.‘માર્કેટ ચોક કા રાજા’ પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઈઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાય છે.

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા જીનપરા ચોક ખાતે આવેલ વિશ્ર્વકર્મા મંદિર ખાતેથી યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ પંડાલોના ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઈ જોડાયા હતા અને તમામ પંડાલોના આયોજકોને જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલમાં બિરાજમાન દુંદાળાદેવ ગણેશજી સમક્ષ રાખવામા આવતી માનતા અવશ્ય પુરી થાય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખેલ માનતા આ વર્ષે ભકતજનો પુરી કરતા ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

પંડાલમાં 1111 દીપ સાથે મહારઆરતી યોજાઈ હતી. આ પંડાલમાં રાત્રે 9 કલાકથી કાર્યક્રમો શરૂ થાય તે પહેલા ગણેશ કતો સાંજે 7-30 કલાકથી જગ્યા મેળવવા ઉમટી પડતા હોય છે.શ્રી ગણેશ ઉત્સવ સમિતિના મોભી રામધામના સ્વપ્ન દ્વારા જીતુભાઈ સોમાણી દ્વારા આ સુંદર આયોજન બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સાલ ઓઢાડી તેઓને જાહેરમાં સન્માનીત કરાયા હતા.






Latest News