મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબી સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે !: છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો


SHARE











મોરબી સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે !: છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો

મોરબી આમ તો છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક સિટી તરીકે જાણીતું છે પરંતુ હવે આ શહેર સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે તેવું સિલિકોસિસ સંઘ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે અને તેમના કહવા મુજબ છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો છે અને આ રોગ સીરામીકમાં મજુરી કામ કરવાથી થયેલ છે તેવી પણ પીડિતો જણાવી રહ્યા છે.

મોરબીમાં રહેતા પ્રકાશભાઈના પત્ની જ્યોતિબેનને પતીની સારવાર પાછળ દાગીના વેચવા પડઆ અને ગુજરાન ચલાવવા બે લાખનું દેણું પણ કરવું પડ્યું છે ત્યારે ૩ નાના બાળકો છે એમને હવે એકલે હાથે ઉછેરવા કેમ તેની ચીંતા જ્યોતિબેનને કોરી ખાય છે. અને દેણું કેમ ભરાશે ? જે કંપનીઓનું કામ કરતાં પ્રકાશભાઇનો જીવ ગયો છે તે તેમને વળતર ચુકવશે ? ૩ મહીના પહેલા જ પ્રકાશભાઇના સગાભાઈ ભરતભાઈ માર્ચ ૨૦૨૪માં સીલીકોસીસથી મૃત્યુ પામ્યા અને એમના ઘરની પરીસ્થિતી પણ એવી જ છે. સમલીના કરશનભાઈના પરીવાર અને મોરબી વિક્રમભાઈના પરીવારે તો ૧૦-૧૦ લાખથી વધુ રૂપિયાનો દેણામાં નાખ્યા પછી પણ પોતાના લાડકવાયાને બચાવી શક્યા નથી. મોરબી જીલ્લાનું સીરામીક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સીરામીક પ્રોડકટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે પણ કામદારો વગરના મોરબીની કલ્પના કરી જુઓ.

સીરામીક એકમોએ કામદારોને સીલીકોસીસ નામની વ્યવસાયીક બીમારી આપીને આ બીમારી વળતર પાત્ર હોવા છતાં કામદારો પાસે કામના પુરાવા જ ન હોવાને કારણે આ કાયદા માત્ર કાગળના વાઘ પુરવાર થાય છે. આ મોરબી શ્રમ આયુક્તની કચેરી અને જીલ્લા ઔધ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી કચેરી બંનેની કામગીરી ઉપર પ્રશ્ન ચિન્હ ઊભો કરે છે. અને મહીના દીઠ મૃત્યુના આંક ઉપર નજર કરીએ તો ફેબ્રુઆરીમાં ૨, માર્ચમાં ૩, એપ્રિલમાં ૩, મે માં ૧, જુનમાં ૩, જુલાઇમાં ૩ એવી રીતે ૬ મહીનામાં કુલ ૧૫ લોકોના મોત થયેલ છે. તેમના પરિવારોની સ્થિતિ દયનીય થઈ ગયેલ છે.






Latest News