ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન


SHARE











વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે પરંપરાગત યોજાતા અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, હરિભકતો દ્વારા તૈયારીનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.
કોરોના કાળ દરમ્યાન લાંબા સમય સુધી ધાર્મિક સ્થળો પણ સુમસામ રહ્યા હતાં, તમામ ધાર્મિક આયોજનો પણ બંધ રહ્યા હતાં, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવતાં, લાંબા સમય બાદ ફરી એકવાર વાંકાનેરનું Baps સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું છે, મંદિરને રંગબીરંગી આકર્ષક લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, તા. 5 ને શુક્રવારે નૂતનવર્ષના પ્રારંભે ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલપ્રકાશ સ્વામીની ઉપસ્થિતમાં ગાઈડ લાઈન મુજબ અન્નકુટ દર્શન યોજાશે, લાંબા સમય બાદ ધાર્મિક આયોજન શરૂ થતાં વાંકાનેર સત્સંગ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણભાઈ આશર, જયેશભાઈ રામાણી, હંશાબેન રામાણી, મહેંદ્રભાઈ ત્રિવેદી, સુમિતભાઈ ત્રિવેદી સહિતનાં અગ્રણીઓ, હરિભકતો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News