સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ


SHARE











મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ

રાજકોટના શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકદિનના ઉપક્રમે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે યોજાયેલ 'શિક્ષક રત્ન સન્માન' સમારોહમાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો. ડૉ. યોગેશ એ. જોગસણના હસ્તે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શાલ ઓઢાડી, શિલ્ડ, પ્રમાણપત્ર અને પુસ્તક અર્પણ કરી 'શિક્ષક રત્ન' એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 માં શિક્ષકદિને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના 'પતંગિયું કેવું મજાનું' અને 'પાંખ મળે તો...' બાળકાવ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. તેમના 'પાંખ મળે તો...' બાળકાવ્યસંગ્રહને  ગુજરાતનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આમ શિક્ષક સંજયકુમાર બાપોદરિયાએ 'શિક્ષક રત્ન' એવોર્ડ પ્રાપ્ત કરી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવારનું ગૌરવ વધારેલ છે.






Latest News