મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપનારા યુવાનને ઓફિસે બોલાવીને ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપનારા યુવાનને ઓફિસે બોલાવીને ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ બેકરીની ઉપરના ભાગમાં આવેલ ઓફિસે બોલાવીને ઉછીના રૂપિયા લેનાર યુવાનને રૂપિયા પાછા આપ્યા ન હોવાથી તે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમાં આલ્ફા હોમ બી-501 માં રહેતા હાર્દિકભાઈ કાંતિભાઈ બોપલિયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચેતન વરમોરા રહે. ક્રાંતિજ્યોત મહેન્દ્રનગર, મયુરસિંહ જાડેજા રહે. મોરબી અને અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે તેને ચેતન પાસેથી ફરિયાદી હાથ ઊંચીના એક લાખ રૂપિયા લીધા હતા જે તેણે પરત આપ્યા ન હતા જે બાબતનો ખાર રાખીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કભીભી બેકરીની ઉપરના ભાગમાં ચેતન વરમોરા અને મયુરસિંહ જાડેજાની ઓફિસે આવેલ છે ત્યાં તેને બોલાવ્યો હતો અને ત્યારે ત્રણેય શખ્સો ત્યાં હાજર હતા અને તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો ત્યારે મયુરસિંહ જાડેજાએ પ્લાસ્ટિકના ધોકા વડે જેમ ફાવે તેમ ફરિયાદીને માર માર્યો હતો તેમજ ફરિયાદીને માર મારવાની જે ઘટના બની હતી તેની કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News