મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ કેબલ ઓપરેટરે સળગાવી: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ કેબલ ઓપરેટરે સળગાવી: બે સામે ફરિયાદ

મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક પાસે આવેલ ઘનશ્યામ પ્લાઝામાં જીટીપીએલની ઓફિસના દરવાજાને કેબલ ઓપરેટરે જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી દીધી હતી જેથી કરીને જીટીપીએલનું સંચાલન સંભાળતા આધેડ દ્વારા હાલમાં એક કેબલ ઓપરેટર સહિત કુલ બે વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ શિવાલય હાઈટસ ખાતે રહેતા અને મોરબી જિલ્લામાં જીટીપીએલ કેબલ કનેક્શનનું સંચાલન સંભાળતા દિનેશભાઈ જયંતીલાલ પંડ્યા (56)એ હાલમાં મોરબી એ  ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુનેદ ગુલામહુસેન પીલુડિયા રહે. મહેન્દ્રપરા અને તેની સાથે આવેલ એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક ઘનશ્યામ પ્લાઝામાં તેઓની જીટીપીએલની ઓફીસ આવેલ છે અને જૂનેદ ગુલામહુસેન પીલુડિયા જે કેબલ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેની સાથે જોડાયેલ છે અને તેણે ફરિયાદી પાસેથી હાથ ઉછીના 50 હજાર રૂપિયા માંગ્યા હતા જોકે, રૂપિયાની સગવડ ન હોવાથી ફરિયાદીએ તેને રૂપિયા આપવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેઓની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમની ઓફિસના દરવાજા ઉપર જ્વલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી જેથી કરીને ઓફિસમાં અને દરવાજામાં 50,000 જેવી નુકસાની થયેલ છે હાલમાં જીટીપીએલના સંચાલક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News