મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકાનું જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં અપાયું


SHARE











વાંકાનેર નગરપાલિકાનું જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં અપાયું

વાંકાનેરમાં છેલ્લા વર્ષોથી જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવે છે તેવી જ રીતે આજે મેળાના મેદાનની વાંકાનેર પાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી રાખવામા આવી હતી જેમાં કુલ સાત પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. અને હરાજીના અંતે લોકમેળા માટેનું મેદાન 18 લાખમાં જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવેલ છે.

વાંકાનેર પાલિકા કચેરી ખાતે આજે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ.વી. કાનાણીની હાજરીમાં મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને સાત પાર્ટીઓએ ભાગ લીધેલ હતો. અને 3.10 લાખની બેઝ પ્રાઇઝથી મેળાના મેદાનની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને‌ ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખની બોલવામાં આવી હતી અને સૌથી ઊંચી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા લગાવવામાં આવતા મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,મેદાન માટે બોલી લગાવનાર દાવેદાર દ્વારા પાલિકામાં બોલીની રકમ જમા કરાવવામાં નહીં આવે તો, તેને રદ કરી તેનાથી નીચે બોલી લગાવનારને આ ગ્રાઉન્ડ આપવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે.






Latest News