મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ માટે ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ જેટલી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ


SHARE











મોરબી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ માટે ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ જેટલી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન મળી રહે અને તેમને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં જ નિવારી શકાય તે માટે પંચાયતોને ક્લસ્ટરમાં વહેંચી કલસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અન્વય મોરબીમાં ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ ક્લસ્ટરમાં તાલીમનું આયોજન કરી અંદાજિત ૨૫,૭૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.

મોરબી જિલ્લાના પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૭૨ ક્લસ્ટરમાં ગ્રામ પંચાયતોને વહેંચવામાં આવી છે. આ ક્લસ્ટર દીઠ જિલ્લાના તમામ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન મળી રહે તે માટે ક્લસ્ટર બેઝ તાલીમની કામગીરી આત્માની કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વયે ચાલુ વર્ષે હાલની સ્થિતિમાં અંદાજિત ૨૫,૭૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે. વિગતે વાત કરીએ તો જિલ્લામાં વાંકાનેર તાલુકાના ૧૮ ક્લસ્ટરમાં ૬,૧૨૮ ખેડુત, મોરબી તાલુકાના ૨૨ ક્લસ્ટરમાં ૮,૨૩૫ ખેડૂત, માળિયા તાલુકાના ૯ ક્લસ્ટરમાં ૩,૨૦૫ ખેડૂત, ટંકારા તાલુકાના ૯ ક્લસ્ટરમાં ૩,૧૨૨ ખેડૂત અને હળવદ તાલુકાના ૧૪ ક્લસ્ટરમાં ૫૦૧૦ ખેડૂત એમ કુલ ૭૨ ક્લસ્ટરમાં ૨૫,૭૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. મોરબી જિલ્લાની આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને અન્ય પરંપરાગત ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એફ.એમ.ટી.(ફાર્મર માસ્ટર ટ્રેનર) અને ટી.એમ.ટી(ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) દ્વારા વિશેષ માર્ગદર્શન તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.






Latest News