મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાશે


SHARE











મોરબીના જલારામ મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાશે

મોરબી જલારામ મંદિરમાં આવેલ જલિયાણેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બરફના શિવલીંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવભક્તો માટે પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ રાખવામા આવશે.

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવશે. જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવશે. અને મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી (૮૭૫૮૧૨૦૪૩૫), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬), હીતેશભાઈ જાની (૯૮૨૫૩૨૬૭૨૯), ચિરાગભાઈ રાચ્છ(૯૦૯૯૬૦૦૦૮૧) નો સંપર્ક કરવા માટે શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News