મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી


SHARE











મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી

મોરબીમાં વર્ષો જુના રહેવાસી અને ખોડીયાર મઢૂલી પરીવારના નામ થી જેમની ઓળખ છે તેવા અનિલકુમાર ધીરજલાલ કારીયાને પોતાના ધંધાકીય ઉપયોગ માટે વર્ષો પહેલાં બજારલાઈન (સોની બજાર) લાલબંબા શેરી પાસે મોરબી સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીની માલિકીનું ગોડાઉન ભાડે રાખેલ અને આશરે ૫૦ વર્ષથી નિયમિત ભાડુ ચુકવી રહ્યા હતા ત્યારે અનિલભાઈ કારીયા પોતે છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી ધંધામા નિવૃત થાય અને આજે પોતે તેમના પરીવારને કીધું કે આપણું આ ગોડાઉનના મુળ માલીક સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીનું છે અને આપણે આટલા વર્ષોથી ત્યાં ધંધો કરી સુખી થયા છીએ અને હવે ઠાકોરજીની ખુબ કૃપા છે તો આપણે આ મિલ્કત એકપણ રૂપિયો લીધા વિના કે કોઈપણ જાતની વિનાશરતે આપણે હવેલીને પાછી સોંપી દેવી છે. ત્યારે પરીવારનાં સ્ભયોએ ખુબ રાજી થઆઇને મિલ્કતનાં ભાડુઆતે હવેલીએ સામેથી જઈને મુખ્યાજીને કીધું કે લ્યો આ ચાવી ઠાકોરજીને અર્પણ કરું છું. આ તકે હવેલીનાં મુખ્યાજી, ટ્રસ્ટી અને સમગ્ર વૈષ્ણવ સમાજના લોકોએ અનિલકુમાર ધીરજલાલ કારીયા અને ખોડીયાર મઢુલી પરીવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News