મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા ગામે શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 


SHARE











મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા ગામે શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં બાળ સંસદની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધો.3 થી ૮ નાં કુલ ૧૯૫ જેટલા બાળ મતદારોએ ૧૦ ઉમેદવારો માટે પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ થઈ હતી.જેમાં બાળ મતદાર એજન્ટ, બાળ પોલિંગ સ્ટાફ , પ્રિસાઇડિંગ ઓફિસર અને બાળ સુરક્ષા સ્ટાફ વગેરે સાથે સમગ્ર ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંતે મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવા બાળ મંત્રી મંડળની રચના પણ કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોમાં મતદાન જાગૃતિ, એકતા, નેતૃત્વ, લીડરશીપ વિગેરે જેવા મૂલ્યો વિકસાવવાનું ધ્યેય ઘણે ખરે અંશે સિદ્ધ થતું જોવા મળ્યું હતુ. સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હોય શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા આ તકે તમામ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






Latest News