ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પતિ સહીતનાસાસરીયાના ત્રાસથી તરછોડાયેલ  પીડિતાને ૧૮૧ અભયમ ટીમે સધીયારો આપ્યો


SHARE











મોરબી પતિ સહીતનાસાસરીયાના ત્રાસથી તરછોડાયેલ  પીડિતાને ૧૮૧ અભયમ ટીમે સધીયારો આપ્યો

રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે  જેમાં મોરબીમાંથી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ માં ફાેન કરીને મદદ માગવામાં આવી હતી.જેમા જણાવવામાં આવ્યુ હતુ  કે એક બેન છેલ્લા પંદરેક દીવસથી અહીંતહીં આંટી મારી રહ્યા છે અને તેમની સાથે એક નાનુ બાળક પણ છે માટે તેને મદદની જરૂર છે.જેથી તુરંત જ મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી તેમજ પોલીસ સ્ટાફના જયશ્રીબેન અને પાયલોટ ભરતભાઈએ પીડિતા સાથે વાત કરતા જણાયુ હતુ કે તે બહેન ગુજરાત બહારના છે અને ગુજરાતી સમજતા નથી.

તેથી ૧૮૧ ની ટિમે આસપાસમાં પૂછપરછ શરૂ કરી હતી.દરમ્યાનમાં એક વ્યક્તિ મળી આવી જેમના થકી જાણવા મળ્યું હતુ કે તે બહેન મૂળ બિહારના છે અને તેઓ પરિણીત છે પરંતુ તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે અને પત્ની તથા બાળકને ઘરમાંથી કાઢી મુક્યા છે..! પિયરમાં પણ માતા-પિતા હયાત ન હોય તેમજ ભાઈ પણ સાથે રાખવા તૈયાર ન હોય પરિણીતા બાળકને લઇને નીકળી ગઇ હતી અને ગુજરાતમાં આવીને મજૂરી કરીને પોતાનું તથા પોતાના બાળકનું ભરણપોષણ કરવાની હતી જોકે કાઉન્સેલીંગ બાદ તેણે વતન પરત જવા ઇચ્છા દર્શાવતા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી






Latest News