તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત


SHARE











મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ સોસાયટીમાં ઘર પાસે માતાજીના મઢમાં યુવાન સફાઈ કરી રહ્યો હતો ત્યારે ચક્કર આવતા પડી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો. આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આધેડને છાતીમાં દુખાવો ઉપડતાં સારવારમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેરકર્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો હિમાંશુ મહેશભાઈ નકુમ (28) નામનો યુવાન પોતાના ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢમાં અષાઢી બીજ નિમિત્તે સાફ-સફાઈ કરી રહ્યો હતો દરમિયાન અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હાજર રહેલા ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં મહિપતસિંહ ઝાલાના મકાનમાં ભાડે રહેતા અશોકભાઈ જયંતીલાલ ઉઘરેજા જાતે કોળી (55) નામના આધેડને પાંજરાપોળ સામે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક સ્લીપ

મોરબીમા વાવડી ચોકડી નજીક આવેલ મગરની વાડી ખાતે રહેતા દયારામ દેવજીભાઈ કંઝારીયા (27) નામનો યુવાન વાવડી ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News