હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે નળિયાના કારખાના નજીક સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક આધેડ અને એક યુવાનને ઇજા થયેલ છે જેથી તે બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આવેલા મોમાઇ નડિયાદના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ કાંતિલાલ સોલંકી (24) અને રફાળેશ્વર ગામે રહેતા બળદેવ કરસનભાઈ મકવાણા (57) ને મોમાઈ નળિયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા અને હોસ્પિટલ ખાતે તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ (19) નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ પ્રથમ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર સિટી પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

રિક્ષા પલટી
સુરેન્દ્રનગરના નાગવાડા ગામે ઠાકોરવાસમાં રહેતા જીલાભાઈ નારણભાઈ (47) નામનો યુવાન જીવાગામ થી ચુલી ગામ તરફ જવાના રસ્તા ઉપર રિક્ષા લઈને જતો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો ધાંગધ્રા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી છે




Latest News