સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવા અરજી આપી


SHARE











મોરબી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવા અરજી આપી

#Boycottmaharaj #netflix #સનાતન #sanatan #vhp #bajrangdal

મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરલે છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે.

બોલીવુડના અભિનેતા આમિરખાનના દીકરા જુનેદખાનની પહેલી ફિલ્મ મહારાજા 14 જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી જો કે, ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ થયેલ છે અને મામલો હાઇકોર્ટ સુધી પહોચી ગયેલ છે જેથી કરીને આ ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. તેવામાં મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી ફરિયાદ આપેલ છે.

મોરબી પાલિકાના માજી સભ્ય પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મની આસ્થા પર ફિલ્મ બનાવી તેમજ પુસ્તક લખીને પ્રહાર કરવામાં આવ્યો છે. જેથી મહારાજા પુસ્તક લખનાર સૌરભ શાહપુસ્તક પ્રકાશિત કરનાર  પ્રકાશન હાઉસતેમજ યશરાજ ફિલ્મ અને આમિરખાન તેમજ જુનેદખાન સામે ફરિયાદ કરવાની માંગ કરી છે અને આ પુસ્તકમાં હિન્દુ સંતોધર્મગુરુહિન્દુ ધર્મની બહેનોસ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ધર્મગ્રંથોને ખરાબ ગણવામાં આવ્યા છે. જેથી કરીને આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. 

વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યુ હતું કે, વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચડવાનું કામ કરવામાં આવે છે આટલું જ નહીં ફિલ્મને હિત કરવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચડવાની પ્રવૃતિ ઉપર બ્રેક લાગશે






Latest News