સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ


SHARE











મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ

અનાદિ મહામુક્ત પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી મંદિર ખાતે રંગોળી, દિપમાળા, અન્નકુટ દર્શન સહિતના કાર્યકમો યોજી મોચી સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મોચી સમાજના પરિવારજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતે દિપમાળા, અન્નકુટ દર્શન, રંગોળી સહિતના વિવિધ કાર્યકમો યોજી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈ, પૂર્વ ખજાનચી પ્રફુલભાઈ એચ. વાળા, ધીરુભાઈ પરમાર, જયસુખભાઈ પરમાર, હિતેશ ભાઈ રાઠોડ, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ પરમાર, પંકજભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રચના સાડી વાલા,અને રમેશભાઈ રાજુભાઈ પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યકમોનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. તેમ જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈની યાદીમાં જણાવાયું છે.






Latest News