મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દેશમાં કોરોના વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝ પુર્ણ થયાની ઊજવણી કરાઇ
મોરબીના લોકોને રઝડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા પાલિકા પ્રમુખની ટીમ દ્વારા કવાયત
SHARE
મોરબીના લોકોને રઝડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા પાલિકા પ્રમુખની ટીમ દ્વારા કવાયત
મોરબી નગરપાલિકા સંચાલિત રખડતી ગાયો તેમજ તેમના વંશજોને રાખવા માટે પંચાસર રોડ ઉપર અલાયદી સુવિધા ખૂબજ ઝડપથી ઊભી કરવાં આવી રહી છે અને આ કાર્યવાહીની જહેમત નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના દ્વારા લેવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ વ્યવસ્થા કાર્યરત થવાથી શહેરમાં રઝડતા ઢોરની સમસ્યામાં ટૂંક સમયમાં મોરબીવાસીઓને ખૂબ જ સારું પરિણામ મળશે તેવી લાગણી મોરબી પાલિકા પ્રમુખના પતિ અને ભાજપના અગ્રણી કે. કે. પરમારે માહિતી આપતા જણાવ્યુ છે