ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના ગીરોખત ઉપર ૨૫ લાખ ઉછીના આપેલ વ્યક્તિએ પૈસા પાછા માંગતા જાનથી મારી નાંખવાની ધમકી..!


SHARE







મોરબીમાં જમીનના ગીરોખત ઉપર ૨૫ લાખ ઉછીના આપેલ વ્યક્તિએ પૈસા પાછા માંગતા જાનથી મારી નાંખવાની ધમકી..!

મોરબી પંથકમાં છેતરપિંડી સહિતના બનાવો વધી રહ્યા છે દરમિયાનમાં ચોરી પે સીનાચોરી જેવા બનાવોએ પણ માઝા મૂકી છે.પૈસા લઈને ફરી જવું તેમજ પૈસા માટે કોઇની પણ સાથે છેતરપિંડી કરવી તે રમત વાત થઈ ગઈ હોય તેવું હાલ મોરબીમાં છાશવારે જોવા મળી રહ્યુ છે તે બનાવોમાં વધુ એકનો ઉમેરો ગઇકાલે થયો છે.મોરબીમાં એક વ્યક્તિ પાસે પોતાના જમીનનો ગીરોખત કરીને રૂા.૨૫ લાખ એર શખ્સે ઉછીના લીધા હતા. જે પૈસાની ઉછીના આપનાર વ્યક્તિને જરૂર પડતા પૈસા પરત માંગતા ઘુનડા રોડ ઉપર ત્રણ શખ્સોએ આંતરીને આઘેડને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોય ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર પરથી પસાર થઈ રહેલા વિનોદભાઈ જાદવજીભાઈ સીણોજીયા પટેલ (ઉમર ૫૧) રહે.હડમતીયા તાલુકો ટંકારા જીલ્લો મોરબી વાળા ઉપર મોરબીના અવનીપાર્કમાં રહેતા હિતેશ કેશવજી કામરીયા પચેલ, ધ્રુવ નરભેરામ કામરિયા અને અશોક ઠાકરશી મેરજાએ હુમલો કર્યો હતો અને વિનોદ સીણોજીયાને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વધુમાં ભોગ બનેલા વિનોદભાઈ પટેલે સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ત્રણ પૈકીના હિતેશ કેશવજી કામરીયાએ તેની જમીનનો સાટાખત કરી આપીને તેમની (વિનોદભાઈ) પાસેથી રૂપિયા ૨૫ લાખ થોડા સમય માટે હાથ ઉછીના લીધા હતા જે પૈસાની વિનોદભાઈને જરૂર હોય તેમણે હિતેશ કામરીયા પાસેથી પૈસા પરત માગ્યા હતા જેથી કરીને ઉશ્કેરાઈ જઈને હિતેશ કામરીયા, ધ્રુવ કામરીયા અને અશોક મેરજાએ એકસંપ કરીને તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.હાલ વિનોદ સીણોજીયા દ્રારા ઉપરોકત ત્રણેય સામે ફરિયાદ નોંધાવાતાં એ ડિવિજન પોલીસ મથકના વનરાજસિંહ રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News