ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર


SHARE











મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર

રાજકોટ ગેમઝોન આગની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને ગેમ ઝોન ચેક કરવામાં આવ્યા ત્યારે એક પણ ગેઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે

છેલ્લા વર્ષોમાં સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી અનેક ઘટના બની છે તો પણ સરકારે કોઇની સામે આકરા પગલાં લીધેલ નથી જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ  રહે છે દરમ્યાન રાજકોટ ખાતે ગેમઝોન આગની ઘટના બની હતી જેમાં ૩૦ જેટલા લોકોના મોત નિપજ્યાં છે જે બનાવની હવે સીટ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે જો કે, મોરબીની વાત કરીએ તો ચલલા ઘણા સેમીથી મોરબીની આજુબાજુમાં પણ ગેમ ઝોન આવેલ હતા જો કે, તેને ચેક કરવામાં આવ્યા ના હતા પરંતુ રાજકોટની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને મોલ, સિનેમા હૉલ તેમજ ગેમ ઝોન ચેક કરવામાં આવે છે તેમાં યોગાટા, લેવલ અપ અને થ્રિલ એન્ડ ચિલ ત્રણ ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે જો કે, રાજકોટ સહિત ગુજરાતમાં જુદાજુદા શહેરમાં છેલ્લા વર્ષોમાં બનેલ ગંભીર બનાવોમાં કસૂરવારોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આગામી દિવસોમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિન નથી






Latest News