ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ


SHARE







મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ

હાલમાં ખેડૂતો એટલે કે જગતનાતાતને કનડતા ખાતરના ભાવોમાં કમરતોળ ભાવ વધારાને લઇને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બનેલ છે.ત્યારે સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપરથી ખેડૂતોને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં પણ અસહ્ય વધારો કરવામાં આવેલ છે.ખાતરનો આ ભાવ વધારો ખેડૂતોના મૃત્યઘંટ સમાન સાબિત થશે.ખેડૂતો એક તો હેરાન છે અને ઉપરથી આ વધારો ખેડૂતોને વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકોને પણ અનાજ, શાકભાજી વગેરેમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે.એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારાથી પરેશાન છે અને હવે અનાજ તેમજ શાકભાજીના ભાવ વધારાનો ભોગ બનશે.આમ તો ચોમેર મોઘવારીએ મજા મૂકી છે. ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કઠીન બની ગયું છે.તેવામાં આ વધારો યોગ્ય નથી.માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરેલ છે કે આ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે અને જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખીને લોકહીત કાજે છુટકે જલદ આંદોલન કરવાની ફરજ પડશે. 






Latest News