ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન


SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન

મોરબી જીલ્લાના માળીયા અને મોરબી તાલુકામાં આજની તારીખે સિંચાઈની સગવડતા વગરના અનેક ગામો આવેલ છે જેને ડેમની કેનાલ દ્વારા પાણી આપવામા આવશે તેવું વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કહેવામા આવ્યું હતું જો કે, અફસોસ કે આજની તારીખે તે લોકોને પાણી મળી રહ્યું નથી ત્યારે મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ દ્વારા નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરેલ છે

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ  ભાવેશ બી. સાવરિયાનર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો આજની તારીખે પણ વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે. આવા ગામોના ખેડૂતો દ્વારા કેનાલની સગવડતા આપવા માટેની માંગણીઓ વારંવાર કરવામાં આવે છે પરંતુ આજની તારીખે પાણી આપવામાં આવ્યું નથી અને તાજેતરમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને જયારે ગુજરાત સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે. ત્યારે અહીના ખેડૂતોને આશા છે કે હવે તેઓની પાણી માટેની વર્ષો જૂની માંગણીને પૂરી કરવામાં આવશે

મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ચુંટણી પ્રચાર વખતે બ્રિજેશ મેરજાને સાથે લાવ્યા વગર આવેલા આગેવાનો મોહનભાઈ કુંડારિયા તેમજ મગનભાઈ વડાવિયા તેમજ જવાહરભા ચાવડા  દ્વારા આ વિસ્તારના ખેડૂતોને વચન આપવામાં આવેલ હતું કે “તેમોને અમે સિંચાઈનું પાણી કેનાલ દ્વારા અપાવીશું  તમો ભાજપના ઉમેદવારને જીતાડો”  લોકોએ તેઓ ઉપર વિશ્વાસ કરીને મત આપીને ભાજપના ઉમેદવારને જીતાડેલ છે. તો હવે કેનાલ દ્વારા પાણી આપવા મતેજે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં આવે તે જરૂરી છે અને જો કેનાલની સુવિધા આપવામાં નહીં આવે તો નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર  અંદોલન કરવામાં આવશે






Latest News