મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના


SHARE











ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના

થોડા સમય પહેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે પાટીદાર કે પાર્ટી સામે નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ પણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સમર્થનમા આવેલ છે ત્યારે આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, આ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં છે કોઈ પાર્ટી કે કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટેની આ લડાઈ નથી અને તેઓની એક જ માંગ છે કે, પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકની ટિકિટ રદ કરવામાં આવે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોતમ રૂપાલાને હટાવીને કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. આવી જ રીતે મોરબી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને પરષોત્તમ રૂપાલા સામે જ ક્ષત્રિય સમાજને વિરોધ છે બીજા કોઇની સામે કોઈપણ પ્રકારનો વિરોધ નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે






Latest News