મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના


SHARE







ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના

થોડા સમય પહેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે પાટીદાર કે પાર્ટી સામે નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ પણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સમર્થનમા આવેલ છે ત્યારે આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, આ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં છે કોઈ પાર્ટી કે કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટેની આ લડાઈ નથી અને તેઓની એક જ માંગ છે કે, પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકની ટિકિટ રદ કરવામાં આવે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોતમ રૂપાલાને હટાવીને કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. આવી જ રીતે મોરબી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને પરષોત્તમ રૂપાલા સામે જ ક્ષત્રિય સમાજને વિરોધ છે બીજા કોઇની સામે કોઈપણ પ્રકારનો વિરોધ નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે






Latest News