જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના


SHARE











ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના

થોડા સમય પહેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે પાટીદાર કે પાર્ટી સામે નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ પણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સમર્થનમા આવેલ છે ત્યારે આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, આ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં છે કોઈ પાર્ટી કે કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટેની આ લડાઈ નથી અને તેઓની એક જ માંગ છે કે, પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકની ટિકિટ રદ કરવામાં આવે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોતમ રૂપાલાને હટાવીને કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. આવી જ રીતે મોરબી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને પરષોત્તમ રૂપાલા સામે જ ક્ષત્રિય સમાજને વિરોધ છે બીજા કોઇની સામે કોઈપણ પ્રકારનો વિરોધ નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે






Latest News