મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી: ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ


SHARE











મોરબી: ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ

ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના અનુંસુચિત જાતી પૈકી ૧૨ અંત્યોદય જાતીઓ હાડી, નાડિયા, સેનવા - સેનમા - શેનવા - ચેનવા - રાવત, તુરી, ગરો - ગરોડા - ગુરૂબ્રામણ - ગરવા, વણકર સાધુ, અનુંજાતિના બાવા, થોરી, તીરગર - તીરબંધ, તુરી બારોટ, માતંગ, વાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) (અતિ પછાત) વ્યકિતીઓને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી નિગમ દ્રારા નાના ધંધા/વ્યવસાય ધિરાણ, પશુપાલન, પેસેન્જર વાહન/માલવાહક વાન અને મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓએ મંગાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ તા. ૨૩/૩/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://sje.gujarat.gov.in/gapb પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી આધાર - પુરાવા સહિત જિલ્લા મેનેજર, ડો. અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં. ૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૧/૦૩/૨૦૨૪ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતી કલ્યાણ કચેરી જિલ્લા મનેજરની યાદીમાં જણાવાયું છે.






Latest News