ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના શનાળા ગામે ભગડા મામાનું મંદિર આવેલ છે ત્યાં ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેમ છે જેથી કરીને આ મુદે સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, શનાળા ગામે ભગડા મામા ચાર રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા નિરવરવા માટે ત્યારે ભગડા મામા ચાર રસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લોકો વતી તેને માંગ કરેલ છે






Latest News