ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે કારસેવકોનું કરશે સન્માન: જલારામ મંદિરપ્રસાદ વિતરણનું આયોજન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે કારસેવકોનું કરશે સન્માન: જલારામ મંદિરપ્રસાદ વિતરણનું આયોજન

આગામી તા ૨૨ ના રોજ ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ૫૦૦ થી વધુ લોકો આરતીમાં જોડાવાના છે અને ત્યારે ૭૫૦૦ દિવડાથી મંદિરને શણગારવામાં આવશે તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૧૯૯૨ માં કાર સેવા કરવા માટે મોરબી જિલ્લામાંથી અયોધ્યા ગયેલા ૩૫ કાર સેવકોનું પરશુરામ ધામ ખાતે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે તેવું પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૨૨ ને સોમવારના રોજ રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભક્તિભાવ પૂર્વક ધામધુમથી કરવામાં આવશે. જે અંતર્ગત સવારે ૧૦ કલાકે ધૂન-ભજન, ૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મોરબી મુકામે બપોરે ૪ કલાકે સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબાર ગઢથી નગરદરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે રામભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.






Latest News