મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન


SHARE







સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સંદર્ભે ભાજપ-ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામનામે વિવિધ કલા- સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રજીસ્ટ્રેશન ૧૩ મી સુધી કરાશે અને ૧૮ મી તારીખ સુધીમાં ક્રુતિ મોકલાવી આપવાની રહેશે

જેમાં રામ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો જેવાં રામાયણને લગતાં વિષયો પરનાં સર્જન વિવિધ કલા માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવાના રહેશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વય મર્યાદા ૧૦ વર્ષથી ઉપર (તા.૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ) ની રહેશે. દરેક સ્પર્ધાની સમય મર્યાદા વધુમાં વધુ ૩ મિનિટની રહેશે. આ સ્પર્ધાના માધ્યમમાં કાવ્ય રચના (પોતાના મૌલિક કાવ્યનું પઠન), ચિત્રકળા, એકપાત્રી અભિનય/ મોનોએક્ટીંગ, ગીત- સંગીત (સોલો તેમજ ગૃપ), વાર્તા કથન/ પ્રસંગ પ્રસ્તુતી, ભજન મંડળી જેવી સ્પર્ધાઓ યોજાશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા. ૧૩ જાન્યુઆરી રાખવામા આવેલ છે અને રજીસ્ટ્રેશન કરવા માટે Registration link : https://forms.gle/B2d9FbazdWDMW93W9 લીંક ટચ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જેને ભાગ લીધેલ હોય તે સ્પર્ધકોએ પોતાની કૃતિ તા ૧૮ જાન્યુઆરી સુધીમાં અપલોડ કરવાની રહેશે. આ સ્પર્ધામાં મોરબીના વધુમાં વધુ લોકો ભાગ લે તેના માટે ભાજપ- ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા અનુરોધ કરાયેલ છે






Latest News