ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટેમ્પરરી જાહેરનામું, કાયમી ઉકેલ ક્યારે..? શહેરના મુખ્ય માર્ગો તેમજ નગર દરવાજા ચોક, નવા-જુના બસ સ્ટેશન, શાક માર્કેટ ચોકના કાયમી દબાણોનું શું : શહેરીજનો


SHARE







મોરબીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટેમ્પરરી જાહેરનામું, કાયમી ઉકેલ ક્યારે..?
શહેરના મુખ્ય માર્ગો તેમજ નગર દરવાજા ચોક, નવા-જુના બસ સ્ટેશન, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારના કાયમી દબાણોનું શું : શહેરીજનો

હાલ તહેવારોના દિવસોમાં શહેરમાં ચાલવાની જગ્યા નથી તેવા સમયે શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ લાડી ગલ્લા અને પાથરણાઓના દબાણો જોવા મળે છે અને પોલીસ, પાલીકા તેમજ કલેકટર તંત્ર દ્વારા આ તમામ બાબતો સામે આંખ આડા કાન કરવામાં આવે છે અને પોતાની જવાબદારી ખંખેરવાના ભાગરૂપે અને ટેમ્પરરી સમસ્યાના ઉકેલના ભાગરૂપે જાહેરનામું પ્રસિધ્ધ કરીને શહેરમાં ભારે વાહનો આવતા રોકવામાં આવે છે પરંતુ શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાસ કરીને નગર દરવાજા ચોક, નવા-જુના બસ સ્ટેશન, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારના કાયમી દબાણોનું શું તેવો સવાલ શહેરીજનો કરી રહ્યા છે.

મોરબીમાં દલવાડી સર્કલ, લીલાપર ચોકડી, રવાપર ગામ, રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ છે.ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા.૩૦-૧૧ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પડાયું છે.

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડીથી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૦-૧૧ સુધી સવારના ૮ થી રાત્રીના ૧૨ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ-કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.






Latest News