વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ એકટીવા-બુલેટના વાહન અકસ્માત બનાવમાં મહિલા સહિત બે ને ઈજા


SHARE











મોરબીની પંચાસર ચોકડીએ એકટીવા-બુલેટના વાહન અકસ્માત બનાવમાં મહિલા સહિત બે ને ઈજા

મોરબીની પંચાસર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એકટીવા લઈને જતા મહિલાના પાછળના ભાગે બુલેટ અથડાતા મહિલા તથા બુલેટ ચલાવી રહેલા આધેડને ઇજાઓ થતા બંનેને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.આ બનાવની અંદર રમઝાનભાઇ હુસેનભાઇ ચાનિયા (ઉમર ૫૦) રહે.રંગપર તા.મોરબી અને ક્રિષ્નાબેન નારણભાઈ જાદવ (ઉંમર ૩૧) રહે. પંચાસર રોડ વાળાઓને ઇજા થતા બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલા દ્વારા અકસ્માત બનાવની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા છોટુભાઈ જગમાલભાઈ નામના ૨૪ વર્ષના યુવાનને મોરબીના લીલાપર ગામે મચ્છુ નદીના પુલ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરીને આ બાબતે વધુ તપાસ હાથ ધરાઈ હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના આમરણ ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દૂધીબેન છગનભાઈ પરમાર નામની ૪૫ વર્ષીય મહિલાને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી આ બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા મારામારીના બનાવના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબી નજીકના રાજપર ગામે રહેતા પીન્ટુભાઇ નાનજીભાઈ મારવાણીયા નામના ૩૩ વર્ષના યુવાને ગામમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોવાથી તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા બનાવના કારણ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News