મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી


SHARE











હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા સૂસવાલ ગામે સિમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી યુવાનની એકાદ સપ્તાહ પૂર્વેની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસ મથકની હદમાં આવતા સુસવાવ ગામે સીમ વિસ્તારમાં રામજીભાઈ પુનાભાઈ કણજારીયા જાતે દલવાડીની કાંઠ નામની વાડીમાંથી કોહવાયેલ હાલતમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી.હાલ લાશ કોહવાઈ ગયેલ હોય લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.તપાસ અધિકારી પીએસઆઇ આર.બી.ટાપરીયા સાથે વાત કરતાં તેમના જણાવ્યા પ્રમાણે, લાશ એકાદ સપ્તાહ પૂર્વેની હોઇ અને કોહવાયેલી હાલતમાં હોય મૃતકની ઓળખ હાલમાં થયેલ નથી અને ઓળખ મેળવવા તેમજ મોતના કારણ અંગે જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.હાલ મૃતદેહ પાસેથી મૃતકના ઓળખ થાય તેવી કોઇ વસ્તુ ન મળેલ હોય તેમજ મૃતકે કાળા કલરના પેન્ટ-શર્ટ પહેરેલ છે અને આશરે ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.યુવાનનું મોત કુદરતી કારણોસર થયેલ છેકે અન્ય કોઇ અઘટીત બનાવ બનેલ છે..? તે અંગે વધુ તપાસ પીએસઆઇ ટાપરીયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા ગુલમામદભાઇ હુસેનભાઇ લોલાડીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધ જેલ રોડ ઉપર આવેલ સદભાવના હોસ્પિટલ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં બાઈક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા ગુલમામદભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ખાખરાડા ગામે રહેતા અરજણભાઈ આલાભાઇ વણોલ નામના ૭૫ વર્ષીય વૃદ્ધ ગામમાંથી પરત ઘરે પોતાની સાઇકલ લઇને જતા હતા ત્યારે ખાખરાડા ગામે કાદવ-કીચડ લીધે તેઓ સાયકલમાંથી પડી ગયા હતા જેથી કરીને અરજણભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા છે તેમ પોલીસે જણાવ્યુ હ






Latest News